Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્યની મુલાકાત પહેલાં સંજય રાઉત અને એકનાથ શિંદે અયોધ્યા પહોંચી ગયા

આદિત્યની મુલાકાત પહેલાં સંજય રાઉત અને એકનાથ શિંદે અયોધ્યા પહોંચી ગયા

Published : 07 June, 2022 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઉતે અયોધ્યા પહોંચીને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પર નામ લીધા વિના પ્રહાર કર્યા હતા

સંજય રાઉત અને એકનાથ શિંદે શિવસૈનિકો સાથે અયોધ્યામાં

સંજય રાઉત અને એકનાથ શિંદે શિવસૈનિકો સાથે અયોધ્યામાં


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ - મનસે)ના કાર્યકરોએ રવિવારે અયોધ્યાની મુલાકાત લીધા બાદ શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉત અને એકનાથ શિંદે ગઈ કાલે અયોધ્યા પહોંચ્યા હતા. સંજય રાઉતે અયોધ્યા પહોંચીને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પર નામ લીધા વિના પ્રહાર કર્યા હતા. ઉત્તર ભારતીયોનું અપમાન કરનારાઓએ તેમની માફી માગવી જ જોઈએ એમ કહ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિર્દેશથી અમે અહીં આવ્યા છીએ. ૧૫ જૂને આદિત્ય ઠાકરે પણ અહીં રામલલાનાં દર્શન કરવા આવશે. બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ રાજ ઠાકરેનો વિરોધ કરી રહ્યા છે. તેઓ એક મોટા નેતા છે. કોઈના દબાણમાં આવતા નથી. શિવસેના અને બ્રિજભૂષણ સિંહ સાથે કોઈ ડીલ નથી થઈ. ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ તેઓ રાજ ઠાકરેનો વિરોધ કરી રહ્યા છે. મારા હિસાબે તેમની વાત સાચી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2022 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK