Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘રક્ષાબંધન’ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ છે : આનંદ એલ. રાય

‘રક્ષાબંધન’ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ છે : આનંદ એલ. રાય

Published : 30 January, 2022 02:26 PM | Modified : 18 August, 2023 01:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં દેખાશે

આનંદ એલ. રાય

આનંદ એલ. રાય


આનંદ એલ. રાયની ઇચ્છા ‘રક્ષાબંધન’ને થિયેટર્સમાં રિલીઝ કરવાની છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં દેખાશે. ફિલ્મને આ વર્ષે ૧૧ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આનંદ એલ. રાયની ‘અતરંગી રે’માં પણ અક્ષયકુમારે કામ કર્યું હતું. ‘રક્ષાબંધન’ને લઈને આનંદ એલ. રાયે કહ્યું કે ‘મારા માટે આ એક જર્ની છે. ‘રક્ષાબંધન’ને બનાવવી સરળ નહોતી. આ એક બેઝિક છે કે એના માટે તમારે શીખેલું ઘણુંબધું ભૂલવું પડે. ‘રક્ષાબંધન’ જેવી ફિલ્મ બનાવતી વખતે મારે પ્રામાણિક રહેવું જરૂરી હતું. એક ડિરેક્ટર અથવા તો એક વ્યક્તિ તરીકે મારે લાઇફમાં મળેલા અનુભવોને ફિલ્મમાં ઉતારવાના હતા. ‘અતરંગી રે’ બનાવવી જટિલ હતી અને ‘રક્ષાબંધન’ બેઝિક હતી. આખું વિશ્વ જ્યારે અલગ-અલગ ક્ષેત્રે નિપુણ હોય એવામાં બેઝિક સાથે જોડાઈ રહેવું અઘરું છે. મારા માટે એક ડિટૉક્સ એટલે કે ક્લેન્ઝિંગ પ્રોસેસ જેવું છે.’
‘રક્ષાબંધન’ને થિયેટર્સમાં રિલીઝ કરવા વિશે આનંદ એલ. રાયે કહ્યું કે ‘અમારી ‘રક્ષાબંધન’ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ છે. એમાં કોઈ બદલાવ નહીં આવે. ‘અતરંગી રે’ને પણ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી જ બનાવવામાં આવી હતી. જોકે હવે અમે ફિલ્મોને લઈને ચોક્કસ થઈ ગયા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2023 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK