પયગંબર મોહમ્મદ પરના નિવેદન પર હવે સાઉદી અરબ પણ થયું કાળઝાળ, જાણો સમગ્ર મામલો

06 June, 2022 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીજેપી નેતા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીના મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

નુપુર શર્મા

બીજેપી નેતા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીના મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઈરાન દ્વારા પ્રોફેટ વિરુદ્ધ કથિત દુઃખદાયક ટિપ્પણીની નિંદા કરવામાં આવી છે. જો કે, સાઉદીએ ભાજપના પગલાને આવકાર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેના બંને નેતાઓ વિરુદ્ધ કડક પગલાં લીધા છે અને બંને નેતાઓએ પોતાના નિવેદનો પણ પાછાં ખેંચી લીધાં છે.

national news bharatiya janata party saudi arabia