‘રક્ષાબંધન’ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ છે : આનંદ એલ. રાય

18 August, 2023 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં દેખાશે

આનંદ એલ. રાય

આનંદ એલ. રાયની ઇચ્છા ‘રક્ષાબંધન’ને થિયેટર્સમાં રિલીઝ કરવાની છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં દેખાશે. ફિલ્મને આ વર્ષે ૧૧ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આનંદ એલ. રાયની ‘અતરંગી રે’માં પણ અક્ષયકુમારે કામ કર્યું હતું. ‘રક્ષાબંધન’ને લઈને આનંદ એલ. રાયે કહ્યું કે ‘મારા માટે આ એક જર્ની છે. ‘રક્ષાબંધન’ને બનાવવી સરળ નહોતી. આ એક બેઝિક છે કે એના માટે તમારે શીખેલું ઘણુંબધું ભૂલવું પડે. ‘રક્ષાબંધન’ જેવી ફિલ્મ બનાવતી વખતે મારે પ્રામાણિક રહેવું જરૂરી હતું. એક ડિરેક્ટર અથવા તો એક વ્યક્તિ તરીકે મારે લાઇફમાં મળેલા અનુભવોને ફિલ્મમાં ઉતારવાના હતા. ‘અતરંગી રે’ બનાવવી જટિલ હતી અને ‘રક્ષાબંધન’ બેઝિક હતી. આખું વિશ્વ જ્યારે અલગ-અલગ ક્ષેત્રે નિપુણ હોય એવામાં બેઝિક સાથે જોડાઈ રહેવું અઘરું છે. મારા માટે એક ડિટૉક્સ એટલે કે ક્લેન્ઝિંગ પ્રોસેસ જેવું છે.’
‘રક્ષાબંધન’ને થિયેટર્સમાં રિલીઝ કરવા વિશે આનંદ એલ. રાયે કહ્યું કે ‘અમારી ‘રક્ષાબંધન’ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ છે. એમાં કોઈ બદલાવ નહીં આવે. ‘અતરંગી રે’ને પણ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી જ બનાવવામાં આવી હતી. જોકે હવે અમે ફિલ્મોને લઈને ચોક્કસ થઈ ગયા છીએ.’

entertainment news bollywood bollywood news upcoming movie aanand l rai